Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

આદિત્ય નારાયણ અને પત્ની શ્વેતા અગ્રવાલ કોરોના પોઝિટીવ થયા

કોરોનાની ઝપેટમાં વધુ એખ સેલિબ્રિટી કપલ આવ્યું : આગામી થોડા એપિસોડ સુધી આદિત્ય નારાયણ ઈન્ડિયન આઈડલ ૧૨માં હોસ્ટ તરીકે જોવા નહીં મળે

મુંબઈ, તા. : કોરોના વાયરસના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી સામાન્ય લોકો કોરોના સંક્રમિત થવાની સાથે સેલિબ્રિટીઝ પણ વાયરસનો શિકાર બની રહ્યા છે. શુક્રવારે સમાચાર આવ્યા હતા કે ટેલિવિઝન એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી અને એક્ટર આશિષે મહેરોત્રાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે હવે વધુ એક ટીવી પર્સનાલિટી કોરોનાની ઝપેટમાં આવી છે.

સિંગર અને 'ઈન્ડિયન આઈડલ ૧૨'નો હોસ્ટ આદિત્ય નારાયણ કોરોના સંક્રમિત થયો છે. માત્ર આદિત્ય નહીં તેની પત્ની શ્વેતા અગ્રવાલ પણ વાયરસની ઝપેટમાં આવી છે. મતલબ કે આગામી થોડા એપિસોડ સુધી આદિત્ય નારાયણ 'ઈન્ડિયન આઈડલ ૧૨'માં હોસ્ટ તરીકે જોવા નહીં મળે. આદિત્ય રિકવર થાય ત્યાં સુધી શોના મેકર્સે તેના સ્થાને અન્ય કલાકારો પાસે એક્નરિંગ કરાવાનો નિર્ણય લીધો છે.

રસપ્રદ વાત છે કે, આજે (શનિવાર) પ્રસારિત થનારા એપિસોડમાં આદિત્યના બદલે એક્ટર જય ભાનુશાળી એક્નરિંગ કરતો જોવા મળશે. જો કે, એપિસોડનું શૂટિંગ અગાઉ થઈ ગયું છે અને એપિસોડ શૂટ થયો સમયે આદિત્ય કોરોના સંક્રમિત નહોતો. એપિસોડના શૂટિંગ વખતે આદિત્ય ટ્રાવેલિંગ કરતો હોવાથી તે શૂટિંગ નહોતો કરી શક્યો માટે પ્રોડક્શન હાઉસે જય ભાનુશાળીને તેના સ્થાને લીધો હતો. જો કે, હવે આદિત્ય સાજો થાય ત્યાં સુધી તેના સ્થાને એક્નરિંગ કોણ કરશે તે આગામી એપિસોડમાં ખબર પડી જશે.

ઈન્ડિયન આઈડલ સાથે જોડાયેલા એક સૂત્ર તરફથી મળેલી માહિતી મુજબ, *આદિત્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ અમે તેનું રિપ્લેસમેન્ટ શોધી રહ્યા છીએ. આગામી બે અઠવાડિયા સુધી શો હોસ્ટ કરી શકે તેવા કલાકારની શોધમાં છીએ. આદિત્ય રિકવરી પછી ફરી કામ શરૂ કરશે. તે ઝડપથી સાજો થાય તેવી કામના છે.*

આદિત્ય નારાયણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પત્ની સાથેની તસવીર શેર કરીને તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાની વાત કરી છે. આદિત્યએ લખ્યું, હેલો, કમનસીબે મારી પત્ની શ્વેતા અને હું કોરોના પોઝિટિવ આવ્યા છીએ. હાલ ક્વોરન્ટીન થયેલા છીએ. પ્લીઝ સુરક્ષિત રહો અને પ્રોટોકોલનું પાલન કરતા રહો. અમને તમારી પ્રાર્થનાઓમાં રાખજો. સમય પણ નીકળી જશે.

જણાવી દઈએ કે, શ્વેતા અને આદિત્યએ ડિસેમ્બર ૨૦૨૦માં લગ્ન કર્યા હતા. જે બાદ કપલ બેથી ત્રણવાર હનીમૂન પર જઈ આવ્યું છે. બે અઠવાડિયા પહેલા તેઓ એક વેલનેસ સેન્ટરમાં ગયા હતા.

(9:52 pm IST)