Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

આ ભુમિકા મારા માટે પડકારજનક હતી : જોન અબ્રાહમ

અભિનેતા જોન અબ્રાહમની ફિલ્મ જસત્યમેવ જયતે-૨ રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મમાં જોન ત્રણ રોલમાં જોવા મળ્યો છે. જોને કહ્યું હતું કે ત્રણ ત્રણ ભુમિકા નિભાવવી એ મારા માટે ખુબ જ પડકારજનક હતું. આ ફિલ્મ વર્ષ ૨૦૧૮માં આવેલી સત્યમેવ જયતેની સિકવલ છે. જેમાં જોન અબ્રાહમ વિરેન્દ્ર રાઠોડના રોલમાં હતો, જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓને મારી નાંખતો હતો. તો મનોજ બાજપેયીએ ઇમાનદાર પોલીસ ઓફિસરનો રોલ નિભાવ્યો હતો. હવે સિકવલમાં જોન ફરીથી ભ્રષ્ટાચાર સામે લડતો જોવા મળ્યો છે. આ વખતે કહાનીની પૃષ્ઠભુમિ લખનોૈ છે. જોને ફિલ્મમાં ખેડૂત પિતા તથા તેના બે દિકરા એક પોલીસ કર્મી અને એક નેતાની ભુમિકા નિભાવી છે. જોને કહ્યું કે પિતાનો રોલ મને વધુ ગમ્યો છે. સિકવલ સારી અને બધાનું મનોરંજન કરનારી બને તેવો હેતુ હતો જે ફળીભુત થયો છે.

(10:13 am IST)