Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ગુજરાતી લોકવાર્તાઓ ફિલ્મના માધ્યમથી વિશ્વસ્તરે પહોંચશે : હારિત જોષીનો પ્રયોગ

રાજકોટ તા. ૨ : જાણીતા દિગ્દર્શક હારિત જોષી તાજેતરમાં ઇન્ટરનેશનલ શુટ કરીને રાજકોટ આવ્યા બાદ નવા પ્રોજેકટ પર કામ કરી રહ્યા છે. હવે નવા કન્સેપ્ટના ભાગરૂપે ગુજરાતી લોકવાર્તાઓને ફિલ્મો અને વેબસીરીઝના માધ્યમથી વિશ્વ સ્તરે લઇ જવા તેમણે મનસુબો બનાવ્યો છે. આ માટે કામ આરંભી દીધુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે બનાવેલ 'આપણે તો ધીરૂભાઇ અંબાણી', 'લેટ ધેમ પ્લે' જેવી શોર્ટ ફિલ્મોએ ખુબ નામના મેળવી હતી. આ માટે તેઓને ઇટાલી અને લોસ એન્જલસમાં ફિલ્મ ફેસ્ટીવલમાં બેસ્ટ સ્ક્રીનપ્લે એવોર્ડ પણ મળી ચુકયા છે. હવે આ નવા કન્સેપ્ટ બદલ તેમને મો.૭૯૮૪૬ ૯૮૯૬૫ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(3:43 pm IST)