Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

જોન અબ્રાહમની વધુ એક સિકવલઃ આવતા વર્ષે થશે રિલીઝ

જોન અબ્રાહમ ઘણી સિકવલ કરી ચુકયો છે. ફરીથી તે એક હિટ ફિલ્મની સિકવલમાં જોવા મળશે. ૨૦૧૮માં આવેલી સત્યમેવ જયતે  આવી હતી. જે હિટ રહી હતી. હવે તેની સિકવલ સત્યમેવ જયતે-૨ આવશે. આ ફિલ્મ દિવ્યા ખોસલા કુમાર બનાવી રહી છે. ફિલ્મનું નિર્દેશન મિલાપ મિલન ઝવેરીનું સોંપાયું છે.  ભુષણ કુમાર, કૃષ્ણ કુમાર, મોનિષા અડવાણી, મધુ ભોજવાણી અને નિખિલ અડવાણી નિર્મિત આ ફિલ્મ ૨૦૨૦ની બીજી ઓકટોબરે રિલીઝ થશે. ગયા વર્ષે જોનની સત્યમેવ જયતે અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડની સામે રિલીઝ થઇ હતી. છતાં સફળ રહી હતી. સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં સત્યમેવ જયતેએ ખુબ કમાણી કરી હતી. એ ફિલ્મમાં નોરા ફતેહી પર ફિલ્માવાયેલુ દિલબર દિલબર રિમિકસ સોંગ પણ જબરદસ્ત હિટ થયું હતું. નોરાને જોન પોતાના માટે લક્કી ચાર્મ સમજે છે.

(10:00 am IST)