Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

અમિતાભ બચ્ચનના જવાબથી નારાજ થઇ તનુશ્રી દત્તા

મુંબઈ:તનુશ્રી દત્તા-નાના પાટેકર વિવાદ હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બનેલો છે. આ મામલો દિવસેને દિવસે વધુ વેગ પકડતો જાય છે. કેટલાક બોલીવુડ સેલિબ્રિટીઓએ તનુશ્રી દત્તાને સપોર્ટ કર્યો છે. તો સદીના મહાનાયક અમિતાભ બચ્ચને આ મામલે કોઈનો પણ સપોર્ટ કર્યો નથી, જેને લઈ તનુશ્રી દુઃખી છે.
અમિતાભે જણાવ્યુ હતું કે, ના તો હું તનુશ્રી દત્તા છું અને ના તો હુ નાના પાટેકર. એટલે હું આ મામલે કોમેન્ટ કરવા નથી માંગતો. અમિતાભ બચ્ચનના આ રીએક્શન અંગે જ્યારે તનુશ્રીને પૂછવામાં આવ્યુ તો તેણે જણાવ્યુ કે, હું દુઃખી છું કારણકે આ એ લોકો છે જે સામાજિક મુદ્દા પર ફિલ્મો કરે છે. પરંતુ જ્યારે સ્ટેન્ડ લેવાની અને કંઈક કરવાની વાત આવે છે તો તેમના એવા નિવેદનો સામે આવે છે જે પીડાદાયક હોય છે. કેટલાક લોકોનું કહેવુ છે કે અભિનેત્રી આ બધુ પબ્લિસિટી માટે કરી રહી છે. આ અંગે વાત કરતા તનુશ્રીએ જણાવ્યુ કે, તે આને મારુ બોલીવુડ કમબેક અને બિગ બોસમાં આવવાનો હથકન્ડો કહી રહ્યા છે. લોકો હજી પણ એ વિચારે છે કે જે મિસ યુનિવર્સ સ્ટેજ પર વોક કરી ચુકી હોય, જેને ૧૬થી ૧૮ ફિલ્મો કરી હોય, જીવનમાં તેની આકાંક્ષા આટલી જ સિમિત હશે? તનુશ્રીએ જણાવ્યુ કે, નાના પાટેકર જબરદસ્તી તેની નજીક આવવા માંગતા હતા, તે શુટિંગ દરમિયાન ગીતનો ભાગ નહતા, તેમ છતાં તેઓ મારી સાથે ઈંટીમેટ થવા માંગતા હતા.

(5:20 pm IST)