Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

કીમોથેરાપીની 4 સાઈકલ પૂરી કર્યા બાદ ઈરફાને કહ્યું ,,જીવનની કોઈ ગેરેન્ટી નથી

મુંબઈ :બોલીવુડના અભિનેતા ઈરફાન ખાન હાલ લંડનમાં ન્યૂરો ઈંડોક્રાઈન ટ્યૂમરની સારવાર લઈ રહ્યો છે. ત્યારે અભિનેતાએ ફ્રાંસની એક એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના વિશે માહિતી આપી છે.

  ઈરફાને કહ્યુ કે, કીમોથેરાપીની 4 સાઈકલ પૂરી થઈ ગઈ છે. જો કે હજુ મારે 6 સાઈકલ પૂરી કરવાની છે. ત્યાર બાદ થનાર સ્કેનનો રિપોર્ટ અગત્યનો છે. તેણે કહ્યુ કે જીવનની કોઈ ગેરંટી નથી.

(8:10 pm IST)