Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ફિલ્મ 'સંજુ' બાદ હવે સંજયદત્તના જીવન પર વેબ સીરીઝ બનશે

મુંબઇ,તા.૨: સંજય દત્તના જીવન પર બાયોપિક ફિલ્મ 'સંજુ' બાદ હવે વેબ સીરીઝ પણ બનશે. આ સીરીઝમાં સંજયના જીવન વિશે એવા કેટલાક પાસા-કિસ્સા જોવા મળશે જે ફિલ્મમાં જોવા મળતા નથી. 'સંજુ'માં સંજયની લાઈફના કેટલાક મહત્વના પાસા દેખાડવામાં આવ્યા છે, તો બીજી તરફ વેબ સીરીઝમાં તેના જીવન સાથે જોડાયેલા અનેક અન્ય લોકો વિશે વાત કરવામાં આવશે.

જાણવા મળ્યું છે કે, એક ઈન્ટરનેશનલ ડિજિટલ પ્લેટફોર્મે આ સીરીઝ અંગે સંજય દત્ત પ્રોડક્શન સાથે સંપર્ક કર્યો છે. તે સંજયની લાઇફ પર ત્રણ સીરીઝ બનાવવા માગે છે જેથી લોકો તેના જીવન વિશે વધુ જાણી શકાય.

(4:52 pm IST)