Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

એ રોલ વખતે હું મુંજવણમાં હતોઃ સુનિલ

અભિનેતા સુનીલ ગ્રોવર હાલમાં વેબ સિરીઝમાં કાઠુ કાઢી રહ્યો છે. તેણે તાજેતરમાં કહ્યું હતું કે મને એક અભિનેતા તરીકે બીજાની વિચારધારા મુજબ કામ કરવું ગમે છે. એટલે કે તે નિર્માતા જે રીતે કહે તેવું કામ કરવા ઇચ્છે છે. હાલમાં જ તેનીક્રાઇમ-કૉમેડી સિરીઝ 'સનફલાવર' રિલીઝ થઈ હતી. જેમાં તે અલગ જ અવતારમાં જોવા મળ્યો છે. તે કોમેડી માટે વધુ જાણીતો છે. જોકે 'તાંડવ'માં તેના નેગેટિવ રોલને પણ લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. સુનિલ કહે છે મારે કયો રોલ કરવો એ નક્કી કરવાનું કામ નિર્માતા કરતાં હોય છે. હું કૉમેડિયન તરીકે જાણીતો છું પણ મને 'તાંડવ'માં નેગેટિવ રોલ ઑફર કરવામાં આવ્યો હતો. જે મેં બરાબર નિભાવ્યો હતો. તેની ક્રેડિટ હું સિરીઝના ક્રીએટર અલી અબ્બાસ ઝફરને આપીશ. તેમણે મારી અલગ જ કલ્પના કરી હતી, મેં તો એ મુજબ અભિનય કર્યો હતો. જો કે એ રોલ કરતી વખતે હું થોડો મુંજવણમાં હતો.  'સનફલાવર'માં પણ મારો રોલ અનોખો છે. અલગ-અલગ રોલ્સ કરવાથી હું ઉત્સાહિત થાઉં છું.

(10:07 am IST)