Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

છતાં સફળતા ન મળીઃ કિર્તી કુલ્હારી

એક દસકાથી વધુ સમયથી અભિનય કરી રહેલી કિર્તી કુલ્હારીને લોકો તેની વેબ સિરીઝને કારણે વધુ ઓળખતા થયા છે. ફિલ્મોમાં નોંધપાત્ર કામ કરવાની સાથે ડિજીટલ પ્લેટફોર્મ પર તેણે સારા એવા ચાહકો ઉભા કરી લીધા છે.  અગાઉ ક્રિમીનલ જસ્ટીસ, ધ ગર્લ ઓન ધ ટ્રેનમાં અને હાલમાં જ શાદીસ્તાનમાં જોવા મળેલી કિર્તી  પોતાનું લગ્ન જીવન તૂટી જતાં દુઃખી થઇ ગઇ હતી. પરંતુ હવે તે તેમાંથી બહાર આવી સતત નવા પ્રોજેકટ સાથે જોડાઇ રહી છે. કિર્તીએ કહ્યું હતું કે મેં મારા લગ્નજીવનને બચાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા હતાં, છતાં મને સફળતા ન મળી શકી. કિર્તીએ સાહિલ સહગલ સાથે ૨૦૧૬માં લગ્ન કર્યા હતાં. પતિથી અલગ થવાની માહિતી તેણે ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. તેણે કહ્યું અનેક પ્રયાસો નિષ્ફળ જતાં મેં આશા છોડી દીધી હતી. હું જિંદગીમાં ઘણુંબધું શીખી છું અને એનું શ્રેય સાહિલને જાય છે. સાથે ન રહેવાનું સીધું અને સરળ કારણ એ હતું કે મને જિંદગીમાં જોઇએ તેવી શાંતિ અને ખુશી મળતાં નહોતાં.

(10:07 am IST)