Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ઇશ્કબાઝની રાગિણી કવોરન્ટીન

કોવિડ-૧૯ પોઝીટીવ આવ્યા પછી એકટ્રેસે ઘરમાં જ જાતને બંધ કરીને ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી

મુંબઇ,તા.૨ : ટીવી-સિરિયલ 'ઇશ્કબાઝ'માં રાગિણી મલ્હોત્રાનું કરેકટર કરનારી અદિતિ ગુપ્તાને કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યો છે અને આ વાતની પુષ્ટિ બીજા કોઈએ નહીં, પણ અદિતિએ જ કરી છે. અદિતિએ કહ્યું હતું કે કોવિડ-૧૯નાં કોઈ લક્ષણ તેને નથી અને તે અત્યારે પોતાના જ ઘરમાં કવોરટીન છે અને પોઝિટિવ મેન્ટાલિટી સાથે સમય પસાર કરી રહી છે. અદિતિ ગુપ્તાએ કહ્યું હતું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. હકારાત્મક રહેવું જરૂરી છે. હું પણ એ જ કરૂ છું. યોગ કરૂ છું, આયુર્વેદના જે ઉપચાર કહ્યા છે એનું પાલન કરૂ છું અને જરૂરી મેડિસિન લઉં છું. મને કોરોનાનું કોઈ લક્ષણ હજી સુધી દેખાયું નથી.

કૌવિડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યાને સાતેક દિવસ થયા છે અને અદિતિએ હજી આટલો જ સમય એકલા પસાર કરવાનો છે. અદિતિના ફેમિલી મેમ્બર સતત ઘરમાં જ હાજર રહે છે અને એ બધાએ પણ રિપોર્ટ કઢાવી લીધો છે, પણ સદ્ભાગ્યે ફેમિલીમાં અન્ય કોઈનો રિપોર્ટ પોઝિટિવ,આવ્યો નથી.

(3:04 pm IST)