Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

યે રિશ્તા કયા કહેલાતા હૈ...ફેઇમ મોહેના કુમારી સિંહ સહિત પાંચ પરિવારજનોને કોરોના

ઋષિકેશ તા. ૨: ટીવી શો 'યે રિશ્તા કયા કહેલાતા હૈ'ની અભિનેત્રી મોહેના કુમારી સિંહ અને તેના પરિવારના બીજા પાંચ સભ્યોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં ઋષીકેશ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મોહેનાએ કહ્યું-અમને બધાને સામાન્ય લક્ષણો છેઃ બધાની તબિયત સારીઃ મોહેનાએ ઉત્તરાખંડના કેબીનેટ મંત્રી અને આધ્યાત્મ ગુરૂ સતપાલ મહારાજના પુત્ર સુયશ રાવત સાથે લગ્ન કર્યા છે. મોહેનાએ વધુમાં જણાવ્યું હતું કે કોઇને પણ ગંભીર લક્ષણો દેખાયા નથી. સામાન્ય લક્ષણો છે. અમે બે દિવસથી હોસ્પિટલમાં છીએ અને બધા ઝડપથી સાજા થઇ જઇશું. મોહેનાએ યે રિશ્તા કયા કહેલાતા હૈ શોમાં કિર્તી મનિષ ગોએન્કાનો રોલ નિભાવ્યો છે. મધ્યપ્રદેશ રેવામાં જન્મેલી મોહેના સિંહના પિતાનું નામ મહારાજા પુષ્પરાજસિંહ અને માતાનું નામ રાગીનીસિંહ છે. તેના ભાઇનું નામ દિવ્યરાજસિંહ છે.

(10:42 am IST)