Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

આશા છે કે ત્રીજો ભાગ પણ દમદાર હશેઃ ઇશિતા

ઇશિતા દત્તાએ ટીવી પરદે પણ ઘણું કામ કર્યુ છે. દ્રશ્‍યમ ફિલ્‍મને કારણે તેને મોટી ઓળખ મળી છે. દ્રશ્‍મય અને દ્રશ્‍યમ-૨ એમ બંને ફિલ્‍મો દર્શકોને ખુબ પસંદ પડી છે અને બીજા ભાગે તો બસ્‍સો કરોડથી વધુની કમાણી પણ કરી લીધી છે. અભિષેક પાઠક દ્વારા નિર્દેશીત આ ફિલ્‍મમાં અજય દેવગણની પુત્રી અંજુ સલગાઓકરનુ઼ પાત્ર ભજવનાર ઇશિતા દત્તા કહે છે મને પાક્કો વિશ્વાસ છે કે દ્રશ્‍યમ-૩ પણ બનશે જ. ઇશિતા કહે છે કે સોશિયલ મિડીયા પર દ્રશ્‍યમ-૩ને લઇને અનેક અટકળો ચાલી રહી છે. જો કે દ્રશ્‍યમ પછી બીજો ભાગ બનાવવામાં સાત વર્ષ લાગી ગયા હતાં. હવે ત્રીજા ભાગ માટે શું હશે તે નક્કી થશે. પણ મને વિશ્વાસ છે કે ત્રીજો ભાગ ચોક્કસ બનશે. કદાચ એવું પણ બને કે મારા પાત્ર અંજુના લગ્ન થઇ જાય. હું મારી જાતે એક વાર્તા વણતી રહેતી હોઉ છું. ભલે ગમે તે થાય પણ મને લાગ છે કે ત્રીજો ભાગ બનશે અને એ પણ દમદાર છે. આશા છે કે હવે સાત વર્ષનો સમય નહિ લાગે.

(10:35 am IST)