Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

શ્વેતા તિવારીએ મારા દીકરાને ગૂમ કરી દીધો : અભિનવ કોહલી

અભિનેત્રી શ્વેતા તિવારી પર પતિનો ગંભીર આક્ષેપ : ૪૦ દિવસ બાદ અચાનક જ મારો પુત્ર ગુણ થઇ ગયો છે

મુંબઈ, તા. ૧ : શ્વેતા તિવારી અને અભિનવ કોહલી વચ્ચેનો ખટરાગ હજુ યથાવત છે. છેલ્લા ઘણાં ઘણા સમયથી તેમનાં રિલેશનમાં આવેલી ખટાશ અંગે વાતો થઇ રહી છે. ૨૦૧૯માં શ્વેતાએ પોલીસમાં અભિનવ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. જો કે, તેમણે આ અંગે હજી સુધી ખુલ્લેઆમ વાત કરી નથી. બીજી તરફ અભિનવ કોહલી સોશિયલ મીડિયા પર શ્વેતા વિશે ઘણી વાતો કરી રહ્યો છે.

હવે અભિનવ કોહલીએ શ્વેતા તિવારી પર પુત્ર રેયાંશને ગુમ કરવાનો આરોપ લગાવ્યો છે. થોડા દિવસો પહેલાં જ શ્વેતા તિવારીને કોરોના પોઝિટીવ આવ્યો હતો અને જેના કારણે તેણે દીકરા રેયાશની જવાબદારી પતિ અભિનવ કોહલીને સોંપી હતી. આ વિશે અભિનવ કહે છે કે તેણે ૪૦ દિવસ સુધી તેમના પુત્રની સંભાળ રાખી હતી. અભિનવનું કહેવું છે કે હવે શ્વેતાએ અને પલકે રેયાંશની સંભાળ લેવાની ના પાડી, ત્યારબાદ અભિનવ અને તેની માતાએ પુત્રની સંભાળ લીધી.

અભિનવે શ્વેતા પર પોલીસના નામે ગુંડાગીરીનો આરોપ પણ લગાવ્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે શ્વેતા મને કંઈ જ કહ્યા વગર રૈયાંશને લઈ ગઈ છે અને તેને છુપાવી દીધો છે. એક ન્યુઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપતાં અભિનવે કહ્યું, રવિવાર(૨૫ ઓક્ટોબર) થી મારો દીકરો રેયાંશ મળી રહ્યો નથી. મને ખબર નથી કે તે ક્યાં છે. છેલ્લા ૪૦ દિવસથી તે મારી સાથે હતો. પરંતુ ગયા રવિવારથી શ્વેતા મારા દીકરાને કોઈ અજાણ્યા સ્થળે લઈ ગઈ છે અને તેણે મને તે વિશે કંઈ જ જણાવ્યું નથી. રવિવારથી હું શ્વેતા સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ શ્વેતા મારા ફોન કોલ્સ અને મેસેજનો જવાબ પણ આપતી નથી.

અભિનવે વાત કરતાં કહ્યું હતું કે શ્વેતાએ તેને બ્લોક કરી દીધો છે અને તેણે ૫ દિવસથી તેમના પુત્રને જોયો નથી. તેણે એમ પણ કહ્યું હતું કે શ્વેતા હવે તેના જીવનમાંથી ગાયબ થઈ ગઈ અને તે અભિનેત્રી માટે મરી ગઈ એમ સમજો. અભિનવનું કહેવું છે કે તેણેપોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે પરંતુતેને રૈયાંશ મળી રહ્યો નથી. તેણે કહ્યું કે તે શ્વેતાના શો મેરે ડૈડ કી દુલ્હનના સેટ પર પણ ગયો હતોપરંતુ શ્વેતાએ તેને કશું કહ્યું નહીં. અભિનવના જણાવ્યા મુજબ તેણે શ્વેતા સાથેની મુલાકાતનો વીડિયો પણ બનાવ્યો હતો જેથી તેપુરાવા તરીકે તેનો ઉપયોગ કરીશકે.

(8:33 pm IST)