Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

સોમનાથના પૂર્વ ડી.ડી.ઓ અને પોરબંદરના પૂર્વ કલેકટર

અશોક કાલરિયા ઝીંદાબાદ માહિતી નિયામકનો જન્મદિન

રાજકોટ,તા. ૨૬: ગુજરાત માહિતી નિયામક શ્રી અશોક કાલરિયાનો જન્મ તા. ૨૬ સપ્ટેમ્બર ૧૯૬૧ના દિવસે થયેલ આજે વાઇબ્રન્ટ જીવનના ૬૦ વર્ષમાં દ્વારે પહોંચ્યા છે. તેઓ મૂળ ઉપલેટાના વતની અને ૨૦૦૬ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી એ.વી.કાલરિયા ભૂતકાળમાં જામનગર શહેરી વિકાસ સત્તા મંડળમાં મુખ્ય કારોબારી અધિકારી ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ખાસ ફરજ પરના અધિકારી, કચ્છ અને જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, ગિર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી, પોરબંદરના જિલ્લા કલેકટર વગેરે સ્થાનો પર યશસ્વી ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૩૩૯૧

મો. ૯૯૭૮૪ ૦૦૫૪૬ ગાંધીનગર.

(11:17 am IST)