Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સુગર કો-ઓપરેટિવના નિવૃત્ત ડાયરેકટર એ.એસ. ખંધારનો આજે જન્મદિવસ

૬૮મા વર્ષમાં મંગલ પ્રવેશ

રાજકોટ : ગુજરાત રાજ્યમાં સહકાર ખાતામાં ૩૩ વર્ષની સર્વિસમાંથી ૨૬ વર્ષ રાજકોટમાં જુદી-જુદી જગ્યાઓ પર પરિણામલક્ષી સેવા આપી તેમાંથી મેમ્બર ઓફ બોર્ડ ઓફ નોમિનીઝ રાજકોટ તરીકે ૧૨ વર્ષ સેવા આપી છે તેવા નિવૃત્ત ડાયરેકટર ઓફ સુગર કો-ઓપરેટિવ શ્રી એ.એસ. ખંધારનો આજે જન્મદિવસ છે. તેઓ ૬૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ રાજકોટ નાગરિક બેંકના આશરે ૮ હજારથી વધુ લવાદ કેસના ફેંસલા પણ કરેલ છે. નિવૃત્તિમાં પ્રવૃત્તિને ધ્યાને લઇ નિવૃત્તિ બાદ ૨૦૧૨થી આજ સુધી નાગરિક બેંકના આર્બીટ્રેટર તરીકે કુલ ૨૨૩૧ લવાદ કેસ રૂ.૩૨૫ કરોડથી વધુની રકમના નિકાલ કરેલ છે. સિનિયર સિટીઝન માટે કોરોનાનો સમય આદ્યાત્મિક પ્રવૃત્તિ માટે સુવર્ણકાળ ગણી સમયનો તેમાં ઉપયોગ સાથે કોરોના મહામારીમાંથી વિશ્વ મુકત બને તેવી તેમણે આજના પ્રસંગે ભગવાનને પ્રાર્થના કરી છે. શ્રી અશોક ખંધારના મો.નં. ૯૪૨૮૨ ૧૦૦૦૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(4:06 pm IST)