Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમારનો કાલે જન્મદિવસ

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ,તા. ૯ : વિશ્વ પ્રસિધ્ધ શ્રી સોમનાથ મહાદેવમાં મંદિરના ટ્રસ્ટીનો ૧૧ એપ્રિલ રવિવારે જન્મદિવસ છે.

પ્રભાસ પાટણ ખાતે તા. ૧૧ એપ્રિલ ૧૯૪૨ના રોજ જન્મેલા તેઓ પ્રાથમિકથી કોલેજ સુધીના શિક્ષણમાં તેજસ્વી રહ્યા.

તેઓએ સોમનાથ કોલેજ ખાતે સંસ્કૃત વિષય સાથે બી.એ. ફસ્ટ કલાસ પાસ કરી તે જ કોલેજના પ્રાધ્યાપક બન્યા અને પ્રિન્સીપાલ પણ બન્યા. તેઓને 'સંસ્કૃત ભાષા' રત્નનો એવોર્ડ પણ અપાયેલ છે.

અભ્યાસુ સ્વભાવ -શાસ્ત્ર-પુરાણો વાંચન અને જાણકારીને કારણે તેમને તાજેતરમાં જ અમેરિકાના વર્લ્ડ ટેલન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આંતરરાષ્ટ્રીય સન્માન પણ મળેલ છે.

સોમનાથ સંબંધિત અનેક ભાષાઓમાં પુસ્તકો-લેખો-વ્યાખ્યાનોથી જાણિતા એવા તેઓના જન્મદિને ઠેર -ઠેરથી અભિનંદન શુભેચ્છાઓ વરસાદ ૯૯૨૪૨ ૦૬૭૨૨ ઉપર થઇ રહ્યો છે.

(11:40 am IST)