Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મોવીયા સંતોષી માતાજી મંદિરના મહંત પૂ.ચંદ્રેશ બાપુનો આજે જન્‍મદિન

ભાવનગર,તા. ૨૭ :  ગોંડલ નજીક મોવીયા ગામે આવેલ પુરાણ પ્રસિધ્‍ધ શ્રી સંતોષી પીઠ મંદિરના ઓજસ્‍વી-તેજસ્‍વી મહંત પૂ.ચંદ્રેશબાપુનો આજે મંગળવાર તા. ૨૭/૯/૨૦૨૨ના જન્‍મદિવસ છે.

ઉંચ-નીચના ભેદને ભૂલી મોવીયાના સંતોષી પીઠ ખાતે અઢારે વરણના લોક એક જ પંગતમાં ભોજન લેતા હોય ‘રામ રોટી' અને રામ ભજનમાં બધુ જ તત્‍વજ્ઞાન સમાઇ જતુ હોય તેથી સમાજનો દરેક સ્‍તરના લોકોને પોતીકાપણું લાગે પૂ. મહંત ચંદ્રેશબાપુને લોકસેવાનો ગુરૂ મંત્ર વારસામાં મળ્‍યો તેઓના જન્‍મદીને મો. ૯૪૨૭૨ ૬૯૮૭૦ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(10:14 am IST)