Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ભચાઉ ભજનધામ સ્વાશ્રયનાં સ્થાપક પાલુભાઇનો જન્મદિન

ભાવનગર : કચ્છ માંડવી તાલુકાના મોટા ભાડીયાના વતની અને હાલ ભચાઉ નિવાસી ''ભજનધામ'' આશ્રમના સ્થાપક પાલુભાઇ ગઢવીનો આજે તા. ૨૦  શુકવારના જન્મદિવસ છે.

નવોદિત કલાકારોની પાઠશાળાનું નિર્માણ કરાવનાર પાલુભાઇ ભજનની ધુનો, ૯૮ હારમોનિયમ વચ્ચે કચ્છ ભચાઉની અણુશકિત કંપનીના એમ.ડી.નું સુકાન સંભાળે છે. કચ્છના પ્રવેશદ્વાર સમા ભચાઉ ગાંધીધામ હાઇવે પર આઇ રાજબાઇ મંદિર ખાતે અખંડ હરીહર અને રહેવાની અધતન આબેહુબ વ્યવસ્થા ઉભી કરી છે તેમણે સુવિખ્યાત ભજનીક નારાયણસ્વામી અને કાનદાસ બાપુના હલકથી ગવાયેલા ભજનોના બે ભાગો ૭૦૦ પાનામાં ૫૮૬ ભજનનો સંગ્રહ ''ભજનાવલી'' ની ભેટ ભજન રસીયા સમક્ષ મુકી છે, પાલુભાઇના જન્મદિને (મો.) ૯૮૨૪૧ ૦૪૫૯૧ દ્વારા શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(9:23 am IST)