Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સરકારી ગેસ્ટ હાઉસ મેનેજર્સ એશો.ના મહામંત્રી પ્રવીણભાઇ ધોળકીયાનો બર્થ ડે

જૂનાગઢ, ઉપલેટા, સુરેન્દ્રનગરમાં યાદગાર ફરજ

રાજકોટ : ગુજરાત સરકાર હસ્તકના સર્કીટ હાઉસ, અતિથિ ગૃહ, વગેરેના મુખ્ય વ્યવસ્થાપક અધિકારીઓના બનેલા ગુજરાત ગેસ્ટ હાઉસ મેનેજર્સ  એશો.ના મહામંત્રી અને અમદાવાદ એનેક્ષી સર્કીટ હાઉસના મેનેજર શ્રી પ્રવીણભાઇ ધોળકીયાનો જન્મ તા. ૧૯ જુલાઇ ૧૯૬૨ના દિવસે થયેલ આજે પ૭માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

પ્રજાપતિ રત્ન શ્રી પ્રવીણભાઇ ધોળકીયા મૂળ જામકંડોરણા પંથકના જશાપર ગામના વતની છે. જૂનાગઢ કલેકટર કચેરીથી કારકીર્દિનો પ્રારંભ કરેલ ઉપલેટા, સુરેન્દ્રનગર અને ગાંધીનગર એમ.એલ.એ હોસ્ટેલના મેનેજર તરીકે યાદગાર ફરજ બજાવી છે. શ્રેષ્ઠ કામગીરી બદલ સરકાર દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમનુ સન્માન કરાયુ હતુ.  મો. ૯૮૭૯૫ ૪૩૫૯૫ ગાંધીનગર

(11:43 am IST)