Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

મોરબી 'અકિલા'ના પત્રકાર પ્રવિણભાઇ વ્યાસનો જન્મદિવસઃ ૬૦મુ બેઠુ

મોરબી તા.૧૨: મોરબીના 'અકિલા'ના પત્રકાર પ્રવિણભાઇ વ્યાસનો આજે જન્મદિન છે આજથી અઢીદાયકા પૂર્વે, પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રવેશી વર્ષો સુધી સવાર-સાંજના ન્યુઝપેપર, મેગેઝનો, ટીવી ચેનલો સાથે જોડાયેલા રહેનાર અને છેલ્લા ૨૦ વર્ષથી માત્ર અને માત્ર અકિલા પરિવારના સભ્ય તરીકે 'અકિલા'માં સીનીયર પત્રકાર તરીકે કાર્યરત, અઢીદાયકાના પોતાના બેદાગ વ્યકિતત્વ સાથે એક ખરા પ્રજાના પ્રહરી તરીકે અનેકાનેક ઉલ્લેખનીય લોક સમસ્યાઓને વાચા આપવા સાથે સમસ્યાઓને ઉકેલ સુધી પહોચાડનાર પ્રવિણભાઇ વ્યાસ પત્રકારજગત સાથે પણ ખરી આત્મીયતાનો નાતો ધરાવે છે.

પત્રકારો તેમને દાદાના નામથી ઓળખે છે. વાત હોય સત્ય બહાર લાવવાની તો તેઓ કાયમ સત્યની તરફેણમાં રહી પત્રકારત્વને ઉજળુ કરતા કરતા ૫૯ વર્ષ પુરા કરી આજે ૬૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ''ફુલથી કોમળ અને વજ્રથી પણ કઠોર'' એવુ દિલ ધરાવતા દાદાના મોબાઇલ નં.૯૮૨૫૪ ૮૭૪૧૨ પર હિતચિંતકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે અભિનંદન વર્ષા કરી રહ્યા છે.

(11:46 am IST)