Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

જીવન પર્યન્ત જનસેવાના ધ્યેય ધારણકર્તા જે.કે.જાડેજાનો આજે જન્મદિવસ

ઉગતા હુઆ સુરજ દુઆ દે આપકો, ખીલતા હુઆ ફુલ ખુશ્બુ દે આપકો હમ તો કુછ દેને કે કાબિલ નહિ હૈ, દેનેવાલા હજાર ખુશીયા દે આપકો

સેવાના ભેખધારી એવા મોરબી તાલુકાના ખાનપર ગામે ૧૧મી જુલાઇ ૧૯૬૧ના જન્મેલા જીતેન્દ્રસિંહ ખેંગારજી જાડેજા (જે.કે.) આજે આયુષ્માનની ૫૭ વર્ષની મંજીલ તય કરી ૫૮માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ન્યુ રાજકોટમાં જે.કે. ના ટૂંકા નામથી પ્રચલીત જે.કે.જાડેજા એ રાજકિય કારકિર્દી ૧૯૭૭ થી શરૂ કરી વફાદાર સૈનિક તરીકેની છાપ ઉભી કરી છે. ગરીબ બાળકોને ભણાવવાનો શોખ તેમનો અનેરો છે. અને દર વર્ષે અનેક બાળકોને  આર્થિક સહાય કરવાનો તેમનો અભિગમ છે. શીવશકિત કોલોનીના છેલ્લા  ૨૮ વર્ષથી પ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાઇ આવતા જે.કે. પોલીસ પરિવારમાંથી આવતા હોવા છતા તેઓએ  પોતાનો અલગ જ ચોકો જમાવ્યો છે. પ્રજાલક્ષીકાર્યો અને સેવાકીય પ્રવૃતિમાં હંમેશા જે.કે. જાડેજા મોખરે રહ્યા છે. છેલ્લા ૭ વર્ષથી યુનિવર્સિટી રોડ પર ગણેશ ઉત્સવ સમયે પંડાલમાંીવતા ઉંદરો ગણપતિની મૂર્તિની આજુબાજુ ફરતા હોય તેવુ પ્રદર્શન કરી સમગ્ર ગુજરાતમાં શીવશકિત કોલોની આકર્ષણનું કેન્દ્ર બની હતી. જે ગણપતિ ઉત્સવનું સફળ આયોજનમાં જે.કે. યોગદાન મોખરે છે. જે.કે. જાડેજા જીવન કોમ.કો-ઓપ. બેંકમાં છેલ્લા ૩૮ વર્ષથી ફરજ બજાવે છે. તેમજ કર્મચારીગણમાં સારી લોકચાહના ધરાવે છે. પોતાની કામગીરી કરવાની આગવી સુઝના કારણ. લોકો દ્વારા આલાપ એવન્યુ પાસે આવેલ ચોકને જે.કે. નામ આપવામાં આવેલ છે. તેમના મોબાઇલ નં. ૯૭૨૪૫ ૦૦૯૦૯ ઉપર આજે મિત્રો, શુભેચ્છકો, સગા સંબંધીઓ શુભેચ્છા પાઠવી રહ્યા છે. (૨૮.૬)

 

(3:48 pm IST)