Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

રાજકોટના મહિલા ધારાશાસ્ત્રી ચાંદનીબેન પુજારાનો જન્મદિવસ

રાજકોટ તા. ૧૭: રાજકોટના યુવા એડવોકેટ ચાંદની વી. પુજારા એ રાજકોટ ખાતે સને-ર૦૧૬ થી એડવોકેટ એન્ડ નોટરી શ્રી હરેશ બી. પરસોંડા સાથે વકીલાતની શરૂઆત કરેલી અને હાલમાં તેઓ પરસોંડા એસોસીએટ સાથે સંકળાયેલા છે અને તેઓએ પોતાના સારા-સ્વભાવથી વકીલ મિત્રોમાં ખુબજ સારી ચાહના મેળવેલ છે અને કાયદાકીય રીતે યુવા એડવોકેટ એ નેગોશીયેબલ તથા ફેમીલી તથા રેવન્યુ પ્રેકટીસમાં ખુબ સારી પ્રગતી કરેલ છે તેઓની ખંત અને મહેનત થકી યુવા એડવોકેટ તરીકે સારી નામના પ્રાપ્ત કરેલી છે ખાસ કરીને પોતાના સમાજમાં એક સારા યુવા એડવોકેટ તરીકે ખુબજ ટુકા સમયની વકીલાતમાં પોતાની આગવી છાપ ઉભી કરેલ છે. તેમજ રાજકોટ બાર એસોસીએશન તથા રાજકોટ મહીલા બારના તમામ વકીલ મિત્રો સાથે ખુબજ મળતાવડો સ્વભાવના કારણે બહોળો મિત્ર વર્ગ ધરાવે છે. આમ તેઓના મળતાવળા સ્વભાવના કારણે વકિલ મિત્રોમાં ખુબજ સારી ચાહના ધરાવે છે. આજરોજ તેમનો જન્મ દિવસ હોવાથી વકીલ મિત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મોબાઇલ નં. ૮૮૪૯૧ ૩૭૩રર ઉપર તથા મોબાઇલ નં.૯૦૩૩૯ ૬૪૩૦૧ ઉપર શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

(2:27 pm IST)