Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

આર.એસ.એસ.નાં સનિષ્‍ઠ સ્‍વયંસેવક જયેશભાઈ સંઘાણીનો કાલે જન્‍મદિવસ

રાજકોટ, તા.૪: નાનપણથી જ દેશભકિતનાં રંગે રંગાયેલા રાષ્ટ્રીયસ્‍વયંસેવક સંઘનાંᅠ સંનિષ્ઠ સ્‍વયંસેવક મિલનસાર સ્‍વભાવ જીવદયાપ્રેમી જયેશભાઈ રસિકલાલ સંઘાણીનો આવતીકાલે જન્‍મદિવસ છે. તિથિ પ્રમાણે રક્ષાબંધન તારીખ ૫ના છે. તેઓ પત્ર લેખનમાં સદાય જાગૃત છે. પ્રચાર પ્રસારમાં માહિર છે. વી.વી.પી. એન્‍જીનીયરીંગ કોલેજ સ્‍થાપના કાળથી સ્‍વ. પ્રવીણકાકા મણીયાર સાથે પી.આર.ઓ તરીકે અને એન્‍જિનિયરિંગ કોલેજ નોલેજ સેન્‍ટર ગ્રંથાલયમાં કોલેજ સ્‍થાપનાકાળથી પોતાની સેવાઓ આપેલ હતી. વીવીપીની લાયબ્રેરીમાં પ્રોફેસનલ આસીટન્‍ટ, તથા પ્રચાર પ્રસારની જવાબદારી વહન કરેલ. હાલ રાજકોટમાં ‘આઈટી ૩૬૫ કાફે' નામની આઈ ટી કંપની પુષ્‍કરધામ મેઈન રોડ ખાતે સેવા આપે રહ્યા છે. ૧૯૮૨માં રાષ્ટ્રીય સ્‍વંયસેવક સંઘમાં તૃતીય વર્ષનું શિક્ષણ પ્રાપ્ત કરેલ છે રાજકોટ મહાનગરના દક્ષિણનગર, આનંદનગર રણુજાનગર, વૃંદાવન નગરના નગર કાર્યવાહ, રાજકોટ મહાનગર પ્રચાર પ્રમુખ, તરીકે વિવિધ જવાબદારી નિભાવેલ. હાલ રાજકોટ મહાનગરમાં સહકાર ભારતીનાં શહેરનાં મહામંત્રીની જવાબદારી નિભાવી રહ્યા છે. રાજકોટ નાગરીક સહકારી બેંક, કાલાવડ રોડ, બ્રાંચમાં છેલ્લા આઠ વર્ષથી વિકાસ સમિતિનાં સહકન્‍વીનર તરીકે સેવા આપી રહ્યા છે. તેમના મો.નં.૯૪ર૮ર૦૦પર૦ છે.

(3:31 pm IST)