Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

કાલે આરોગ્‍યના અધિક મુખ્‍ય સચિવ મનોજ અગ્રવાલનો જન્‍મદિન

રાજકોટ : આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના અધિક મુખ્‍ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ (આઇ.એ.એસ.૧૯૯૦) નો જન્‍મ તા. ર૪ ઓકટોબર ૧૯૬૩ ના દિવસે થયેલ. આવતીકાલે પ૯માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ નવી દિલ્‍હીના વતની છે. તેઓ ભૂતકાળમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાથમિક શિક્ષણ કમિશનર, સેટલમેન્‍ટ કમિશનર, વિકાસ કમિશનર, સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગના અધિક મુખ્‍ય સચિવ વગેરે પદ પર રહી ચૂક્‍યા છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૪૮૧૭ મો. ૯૯૭૮૪ ૪૪૧૦પ ગાંધીનગર.

 

(11:42 am IST)