Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

જુનાગઢના પુર્વ શિક્ષણાધિકારી નૈષધકુમારનો જન્મદિન

જુનાગઢ : જિલ્લાના પૂર્વ જીલ્લા શિક્ષણાધિકારી નૈષધકુમાર કે મકવાણાનો આજે પ૯મો જન્મ દિવસ છે.

રર-૧૦-૧૯૬ર ના રોજ ધર્મ પરાયણ પરિવારમાં કાલિદાસભાઇ દેવજીભાઇ મકવાણા અને નંદાબેનને ત્યાં દાહોદ જીલ્લાના કાળી ગામ ગુર્જર ખાતે જન્મેલ નૈષધ મકવાણાએ ત્યાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યુ હતું અને નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ દાહોદ અને બીએડએજી ટીર્ચસ કોલેજ અમદાવાદમાં કર્યુ હતું તેઓ  ર૦૦૦ ની સાલથી લઇ ર૦ર૦ સુધીમાં કચ્છ - વડોદરા - પાટણ - તાપી - ભરૃચ, જુનાગઢ અને છેલ્લે નર્મદામાં જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી વયમર્યાદાના લીધે નિવૃત થયા હતાં.

શ્રી નૈષધ મકવાણા કવિ હૃદય છે તેઓના મુખ્ય શોખ વાંચન લેખન સંગીત અભિનય રમત-ગમત લોકસાહિત્ય છે. આજે તેઓ પ૯ વર્ષ પુરા કરી ૬૦માં વર્ષમાં પ્રવેશી રહયા છે. ત્યારે તેમના મો. નં. ૯૪ર૮૭ ૦પ૮૪૩ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:06 pm IST)