Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

રાજકોટ બાર એસો.ના પૂર્વ સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષીનો ‘હેપી બર્થ ડે'

૪૩ વર્ષ પુરા કરી ૪૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ,તા.૨૩ : રાજકોટ બાર એસોસીએશનના વર્ષ ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧ એમ સતત ૩ વર્ષ સુધી સેક્રેટરી પદ ઉપર રહેનાર એવા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ એન્‍ડ હ્યુમનરાઇટ ડીપાર્ટમેન્‍ટના પ્રદેશ કન્‍વીનર ડો.જીજ્ઞેશ એમ.જોષીએ આજરોજ ૪૩ વર્ષ પૂર્ણ કરી ૪૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.
ડો. જીજ્ઞેશ એમ.જોષી રાજકોટ ખાતે વર્ષ ૨૦૦૯માં વકીલાતના વ્‍યાવસાયમાં પ્રવેશ કરેલ હતો. વકીલોમાં અપ્રતીમ લોકચાહના ધરાવનાર અને હરહંમેશ મદદરૂપ થવાની ભાવના ધરાવનાર ડો.જીજ્ઞેશ જોષી ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૮ એમ સતત રાજકોટ બાર એસોસીએશનના કારોબારી સભ્‍ય તરીકે ચૂંટાઇ આવેલ હતા. આ ઉપરાંત તેઓ ૨૦૧૪, ૨૦૧૭ના વર્ષ દરમ્‍યાન તેઓ રાજકોટ જીલ્લા જેલ કમીટીના સભ્‍ય પદે પણ રહી ચૂક્‍યા છે. આ ઉપરાંત તેઓ રાજકોટ કોંગ્રેસ સમિતિમાં સહમંત્રી પણ છે અને હાલમાં રાજકોટ વોર્ડ નં. ૮ના કોંગ્રેસ આગેવાન પણ છે. આ ઉપરાંત તેઓ સતત વકીલોના વિશાળ હીતની જાળવણી માટે સતત જાગૃત આગેવાન તરીકે પણ કાર્ય કરી રહ્યા છે.
વકીલાત રાજકારણ અને સેવા ક્ષેત્રમાં ખૂબ જ વિશાળ નામના ધરાવતા એડવોકેટ ડો.જીજ્ઞેશ એમ. જોષી કાયદા ક્ષેત્રમાં ડોકટરની પદવી ધરાવે છે. તેમના ૪૪ માં જન્‍મ દિવસ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન શ્રી યોગેશભાઇ રવાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સહમંત્રીશ્રી ગોપાલભાઇ અનડકટ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો.હેમાંગભાઇ વસાવડા, તથા બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના જૂનાગઢ મેમ્‍બર મુકેશભાઇ કામદાર, અમદાવાદના પરેશભાઇ વાઘેલા, ગુલાબખાન પઠાણ, વઝીરખાન પઠાણ, પરેશભાઇ જાની બરોડાના રણજીતસિંહ રાઠોડ, તથા શહેર પ્રમુખશ્રી અશોકભાઇ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઇ ત્રિવેદી રાજકોટ કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન (શહેર) જયંતભાઇ ગાંગાણી (જીલ્લા)ના ચેરમેન અશોકસિંહ વાઘેલા તેમજ રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી તથા રાજકોટ બાર એસોસીએશનની ટીમ સહીતના તેમના મોબાઇલ નંબર ૮૧૪૦૩ ૦૦૦૦૫ ઉપર શુભેચ્‍છાઓ પાઠવેલ હતી.

 

(3:47 pm IST)