Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

છોટા ઉદેપુરના અધિક કલેકટર ડી.કે.બારિયાનો જન્‍મદિન

રાજકોટ સાથે કારકિર્દીના પ્રારંભથી નાતો

રાજકોટ : છોટા ઉદેપુરના વર્તમાન અને જૂનાગઢના ભૂતપૂર્વ નિવાસી અધિક કલેકટર શ્રી ડી.કે.બારિયાનો જન્‍મ ૧૯૬૫ના વર્ષની ૧૬ જૂને થયેલ. આજે ૫૮ માં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે. તેઓ મૂળ દાહોદના વતની અને વાણિજ્‍ય સ્‍નાતક છે. ૧૯૯૬ થી ૯૮ રાજકોટમાં તાલીમી સમયગાળો વિતાવ્‍યા બાદ અમરેલીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી, દ્વારકામાં પ્રાંત અધિકારી, નર્મદામાં નિવાસી અધિક કલેકટર વગેરે પદ શોભાવ્‍યા છે. તેઓ ૨૦૧૩ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
ફોન નં. ૦૨૬૬૯ - ૨૩૩૦૦૪,
મો. ૭૫૭૪૯ ૫૩૨૬૨ છોટા ઉદેપુર

 

(11:41 am IST)