Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

યુવા મહિલા એડવોકેટ ત્રિશાલા જોષીનો આજે જન્‍મ દિવસ

 રાજકોટના એડવોકેટ સંજુબાબાના દીકરી એડવોકેટ ત્રિશાલા સંજયભાઇ જોષીનો આજે જન્‍મ દિવસ છે, રાજગોર બ્રાહ્મણ એવા ત્રિશાલાબેનએ સી.એ.સી.પી.ટી., બી.કોમ., એલ. એલ.બી. (મીડીયમ ઇંગ્‍લીશ) સુધીનો અભ્‍યાસ કરી અને વકીલાત શરૂ કરેલ છે, તેઓ પપ્‍પાના નકશે કદમ ઉપર ચાલી તમામ પ્રકારની સીવીલ, રેવન્‍યુ, ક્રીમીનલ, કેસોની સારી પ્રેકટીશ કરે છે આજે તેમના જન્‍મદીને પપ્‍પાએ તેમને નવી ઓફીસ ગીફટ કરેલ છે, તેનુ આજ ઓપનીંગ પણ રાખેલ છે ત્રિશાલાબેનને શુભેચ્‍છા આપવા રાજકોટ બારના પ્રમુખ અર્જુનભાઇ પટેલ, તથા પી.સી.વ્‍યાસ સહીત શ્‍યામલભાઇ સોનપાલ, દીલીપભાઇ પટેલ, કે.ડી.શાહ, અંશ ભારદ્વાજ સહીતના રાજકોટના નામાકાંત વકીલો આવશે, તેમજ તેમના જન્‍મદિને તેમના પપ્‍પાના મો. ૯૮ર૪૮ ર૪ર૯૩ ઉપર સવારથી શુભેચ્‍છાઓનો અનરાધાર વરસાદ થઇ રહેલ છે.E

(2:50 pm IST)