Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

કોડીનારના નગર સેવક માનસિંગ જાદવનો આજે જન્મદિવસ

નવાગઢ,તા.૩: તારીખ ૦૩/૦૭/૧૯૭૪ ના રોજ સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા અને યુવાવય થી જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇને કોડીનારને નયર સેવક માનસિંગભાઈ હંમેશા સેવાકાર્ય અને વિકાસ ને મહત્વ આપતા આવ્યા છે. વોર્ડ નંબર ૧ માં કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ કાયમી માટે વહેલી સવારે સફાઈ કામનું નિરીક્ષણ કરે છે.

નગરસેવક માનસિંગ જાદવનો આજે જન્મદિવસ છે. તેમજ સદસ્ય તરીકે ચૂંટાયા પછી વોર્ડ નંબર ૧ તથા આજુબાજુના વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના, પાકા અને મજબુત રોડ રસ્તા ના કામો, પેવર બ્લોક ના કામો, પાણી સંગ્રહની વ્યવસ્થા, સાર્વજનિક જગ્યાઓ નો સદુપયોગ વગેરે કરતાં પણ વધારે મહત્વના કામો તેમના કાર્યકાળ દરમિયાન થયેલા છે.ઙ્ગ

હાલમાં જ એમની સક્રિયતા થી પ્રેરિત થઈ અખિલ રાષ્ટ્રીય યુવા સંગઠન દ્વારા એમને આ સંગઠનમાં ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ તરીકેની વરણી થઈ હતી જેને આવકાર મળ્યો હતો.લોકસેવા તથા ગરીબોની મદદ ના હેતુથી માનસિંગભાઈ એ શિવા ફાઉન્ડેશનની સ્થાપના કરી. શિવા ફાઉન્ડેશને કોડીનાર તાલુકામાં અત્યાર સુધી ઘણા બધા રાહત કાર્યો અને સેવાકીય પ્રવૃત્ત્િ।ઓ કરી છે.માનસિંગભાઈને જન્મદિવસની મો,નંબર ૯૯૦૪૧૩૪૭૩૪ ઉપરઙ્ગ શુભકામનાઓ વરસી રહી છે.

(11:14 am IST)