Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સાવરકુંડલા ડાયમંડ એસો.ના અગ્રણી સુરેશભાઇ પાનસુરીયાનો જન્મદિન

સાવરકુંડલા તા. ૧ :.. ડાયમંડ એસોસીએશનના આગેવાન અને અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી સુરેશભાઇ પાનસુરીયાનો જન્મ દિવસ છે તેઓના જીવનના ૪૬ વર્ષ પુર્ણ કરી ૪૭ ના વર્ષમાં પ્રવેશ કરેલ છે. તા. ૧-૭-૧૯૭૪ ના રોજ જન્મેલા સુરેશભાઇ પાનસુરીયા કોઇપણ જાતનો હોદો લીધા વગર સામાન્ય કાર્યકર તરીકે સેવાઓ બજાવી છે અને બજાવતા આવે છે.

તેઓ ગરીબોને મદદ પણ કરે છે કોઇપણ જાતની સ્વાર્થ વગર સેવામાં અડધી રાત્રેનો હોંકારો આપે છે.  તેમના જન્મ દિવસની શુભેચ્છા સગા-સબંધી મિત્ર વર્તુળો રાજકીય આગેવાનો મો. નં. ૯૪ર૯૦ ૭પ૦પપ ઉપર આપી રહેલ છે.

(10:56 am IST)