Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

કાલની ઘડી રળિયામણી, શાસ્ત્રી અનિલપ્રસાદજીની વર્ષગાંઠની વધામણી

રાજકોટ : ધન્ય કાલની ઘડી રળિયામણી, અનિલપ્રસાદજી જોષીની વર્ષગાંઠની વધામણી... સુપ્રસિદ્ધ કથાકાર આવતીકાલે યશસ્વી જીવનના બાંસઠમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે તે નિમિતે આજથી જ તેમના પર શુભેચ્છાવર્ષા શરૂ થઇ ચૂકી છે.

મૂળ જસદણ પંથકના ઝુંડાળાના વતની ઉચ્ચ શિક્ષિત શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી જોષી શ્રીમદ્ ભાગવત, રામાયણ, શિવમહાપુરાણ વગેરેના વિદ્વાન અને લોકપ્રિય કથાકાર છે. તેમના હૃદયમાંથી નીકળતી વાણી શ્રોતાઓના હૃદય સુધી પહોંચે છે. તેમની મધુર વાણીની ધૂપસળી ચોમેર સૌરભ મહેકાવે છે. કથાની સાથે હૃદયસ્પર્શી ઉદાહરણો આપીને અને સમાજ ઉપયોગી વિષયોને આવરી લઇને લોકશિક્ષણનું કાર્ય પણ કરે છે. જયોતિષ શાસ્ત્રના પણ જાણકાર છે.

મો. ૯૯૧૩પ ૩૦૦૪૭, રાજકોટ.

(11:36 am IST)