Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

પત્રકાર અને સુનિલ પબ્‍લિસિટીના સ્‍થાપક સુનિલભાઈ મહેતાનો જન્‍મદિવસ

રાજકોટઃ તાંબુલ સાપ્‍તાહિકના તંત્રી તેમજ સુનિલ પબ્‍લિસિટીના સ્‍થાપક સુનિલભાઈ જસવંતરાય મહેતાનો આજે જન્‍મદિવસ છે. તેમના પિતા સ્‍વ.જસવંતરાય  લ. મહેતા પાસેથી પ્રેરણા લઈ પત્રકારત્‍વ ક્ષેત્રે આગળ વધી પોતાની આવડત અને સૂઝ- બુઝથી શાખ ઉભી કરી છે. સાથોસાથ તેઓ છેલ્લા ૪૭ વર્ષથી એડ એજન્‍સી પણ ચલાવે છે. સદા વાંચનનો અને અવનવી જગ્‍યાએ ફરવાનો શોખ ધરાવે છે. જીવનના ૬૫ વર્ષ પૂર્ણ કરી ૬૬માં વર્ષમાં  મંગલ પ્રવેશ કરી રહેલા સુનિલભાઈને સગા સંબંધીઓ અને મિત્રો દ્વારા મો.૯૮૨૫૧ ૧૪૩૧૬ પર શુભેચ્‍છઓ વરસી રહી છે.

 

(11:48 am IST)