Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

કાલે નાગરિક પુરવઠા નિગમના નિયામક એસ.કે.મોદીનો જન્‍મદિન

લીંબડીના પૂર્વ પ્રાંત અધિકારી, જૂનાગઢના પૂર્વ આર.એ.સી.

રાજકોટ : ગુજરાત રાજ્‍ય નાગરિક પુરવઠા નિગમના વહીવટી ડીરેકટર તરીકે કાર્યરત શ્રી એસ.કે.મોદીના જન્‍મ તા. ૩૧ જુલાઇ ૧૯૬૬ના દિવસે થયેલ. આવતીકાલે ૫૭માં વર્ષના દ્વાર ખટખટાવશે.

શ્રી એસ.કે.મોદી ભૂતકાળમાં લીંબડીમાં પ્રાંત અધિકારી, જૂનાગઢમાં નિવાસી અધિક કલેકટર, ગુજરાત બાળ અધિકાર આયોગમાં સચિવ, ગિર સોમનાથમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક પુરવઠા નિગમમાં જનરલ મેનેજર વગેરે પદ પર રહી ચૂક્‍યા છે. કાલના જન્‍મદિન નિમિતે આજથી જ શુભેચ્‍છા વર્ષા શરૂ થઇ ચૂકી છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૨૧૦૩૭

મો. ૯૮૨૫૯ ૭૭૬૬૦ ગાંધીનગર

(10:55 am IST)