Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

રાજકોટના યુવા એડવોકેટ કૌશિક ખરચલીયાનો આજે જન્‍મ દિવસ

રાજકોટઃ. રાજકોટ બાર એસો.ના સભ્‍ય યુવા એડવોકેટ કૌશિક એમ. ખરચલીયાનો આજે જન્‍મ દિવસ છે. તેઓએ તેમના યશસ્‍વી જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

આજથી ૧૩ વર્ષ પહેલા એલએલબીની પરીક્ષા પાસ કર્યા બાદ રાજકોટના જાણીતા ધારાશાસ્‍ત્રી કમલભાઈ સોનપાલ સાથે જોડાઈને વકિલાતનો પ્રારંભ કર્યો હતો.

કૌશિકભાઈએ સીનીયર એડવોકેટ કમલભાઈ સાથે પ્રેકટીસ કરી અનુભવ મેળવ્‍યા બાદ હવે સ્‍વતંત્ર પ્રેકટીસ કરે છે. તેઓ સિવીલ અને ક્રિમીનલની પ્રેકટીસ કરી રહ્યા છે. તાજેતરમાં નવા ગુજસીકોટ જેવા કેસો પણ લડી રહ્યા છે. કૌશિકભાઈને આજે તેમના જન્‍મ દિવસ નિમિતે સગા-સંબંધી, શુભેચ્‍છકો તેમજ એડવોકેટ મિત્રો કૌશિકભાઈને તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૦ ૨૫૭૮૨ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

 

 

(3:30 pm IST)