Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

શુભત્વથી શોભતા કલેકટર મનોજ દક્ષિણીનો જન્મદિન

નઈ ડગર, નયા સવેરા, ખુશીઓ સે ભરા રહે જીવન સારા

રાજકોટઃ. ગુજરાત વહીવટી તંત્રમાં નિષ્ઠા અને પ્રતિષ્ઠાથી ધબકતા-ઝબકતા અધિકારી તરીકે જાણીતા આણંદ જિલ્લા કલેકટર શ્રી મનોજ વાય. દક્ષિણીનો (આઈ.એ.એસ. ૨૦૦૮) જન્મ તા. ૧૯ નવેમ્બર ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ગતિશીલ અને પ્રગતિશીલ જીવનના ૬૦ માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. આજે પૂનમના દિવસે તેઓ શુભેચ્છાના ઉજાસથી શોભી રહ્યા છે.

શ્રી એમ.વાય. દક્ષિણી અગાઉ અમદાવાદ અને ખેડામાં નિવાસી નાયબ કલેકટર, પાલનપુરમાં નાયબ ચૂંટણી અધિકારી, રાજ્યમાં નાયબ મનોરંજન કર કમિશનર, સાયન્સ સીટીમાં વહીવટી અધિકારી, અધિક ઉદ્યોગ કમિશનર, યુવા સેવા સાંસ્કૃતિક કમિશનર, તાપીમાં અને મહેસાણામાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ શોભાવી ચૂકયા છે.

ફોન નં. ૦૨૬૯૨-૨૬૨૨૭૧, મો. ૯૯૭૮૪ ૦૬૨૦૩ - આણંદ

(12:09 pm IST)