Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

કમલ કે સંગ, કિશોર રાઠોડ કા સેવા રંગ : આજ જન્મદિન કા ઉમંગ

આગે કદમ બઢાના હૈ, નયે સાલ મેં નયા ઇતિહાસ રચાના હૈ

રાજકોટ : શહેર ભાજપ મહામંત્રી અને પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય અને કારડીયા રાજપૂત સમાજના અગ્રણી કિશોરભાઇ રાઠોડનો આજે તા. ૧૮ ના રોજ જન્મદિવસ છે. ત્યારે ઠેર-ઠેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે. તેઓ ૬૩માં વર્ષમાં પ્રવેશ્યા છે.

કિશોરભાઇ રાઠોડ યુવા વયથી ભારતીય જનતાપાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા હોય ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ ના મહામંત્રી શહેર કારોબારી સદસ્ય, શહેર મંત્રી, શહેર ઉપ્રમુખ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય અને હાલમાં શહેર ભાજપ મહામંત્રી તરીકે સતત બીજી ટર્મમાં જવાબદારી સંભાળી રહ્યા છે. ત્યારે પુરૂષાર્થ યુવક મંડળના માધ્યમથી અને યુવાનોની સંગાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જેમાં રકતદાન શિબિર, ચક્ષુદાન, થેલેસેમીયા જનજાગૃતિ, વિદ્યાર્થીઓને શિક્ષણલક્ષી પ્રોત્સાહક પ્રવૃત્તિઓ, રમત-ગમત અને સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરી રહ્યા છે. ૧૯૮પ થી રકતદાન કરવાનો સંકલ્પ કરી તેઓ ૮૮ વખત રકતદાન કરી ચુકયા છે. ઉમદા કાર્ય બદલ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગુજરાત સરકાર દ્વારા કિશોરભાઇ રાઠોડની સંસ્થાને સને ર૦૦૩ તથા ર૦૧૧માં સતત રકતદાન પ્રવૃત્તિઓ માટે શેરદીલ એવોર્ડ તથા સન્માનપત્રથી સન્માનીત કરવામાં આવેલ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત પૂ. રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળાને સંસ્થા દ્વારા દતક લઇ આ શાળાના બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કિશોરભાઇ રાઠોડના મો. નં. ૯૮ર૪ર ૯૧૬૯૬ પર શુભેચ્છા વરસી રહી છે.

(12:17 pm IST)