Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

બકુલેશભાઈ રૂપાણીનો કાલે જન્મ દિવસઃ ૬૫ જીવ છોડાવ્યા

ભૂતપૂર્વ ટાઉનપ્લાનર તથા મોટા સંઘના સેક્રેટરી

રાજકોટ, તા. ૧૭ :. મ્યુનિસીપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ ટાઉનપ્લાનર જીવદયાપ્રેમી બકુલેશભાઈ રૂપાણીનો આવતીકાલ તા. ૧૮ના રોજ જન્મ દિવસ છે. રાજકોટ જૈન મોટા સંઘમાં તેઓ સેક્રેટરી તરીકેની ફરજ નિભાવી રહ્યા છે. રૂડા તથા કોર્પોરેશનનો ૩૬ વર્ષનો તેમના સમયગાળા દરમ્યાન ઉપાશ્રય, દેરાસર, વિવિધ ધર્મસ્થાનકો તેમજ પાંજરાપોળ અને ગૌશાળાઓમાં એક યા બીજી રીતે મદદ કરી પરમાર્થના કાર્યમાં સેવા આપેલ. ૬૫ વર્ષ પૂર્ણ થતા ૬૫ ઘેટા-બકરાના જીવોને રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ ખાતે બકુલભાઈ દ્વારા છોડાવી પૂણ્ય બાંધવામાં આવેલ છે.

રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળના શ્રેયાંસભાઈ વીરાણી, સુમનભાઈ કામદાર, મુકેશભાઈ બાટવીયા, કરણભાઈ શાહ, પંકજભાઈ કોઠારી, યોગેશભાઈ શાહ, સંજયભાઈ મહેતા, દીલીપભાઈ વસા, કાર્તિકભાઈ દોશી, જૈન અગ્રણી ઉપેનભાઈ મોદી, જીવદયાપ્રેમી પ્રકાશભાઈ મોદી, મેનેજર અરૂણભાઈ દોશી તથા જૈન સમાજના અગ્રણીઓ, જીવદયાપ્રેમીઓ, જૈનેતરો અને પરીવારજનો દ્વારા બકુલભાઈ રૂપાણી (મો. ૭૬૨૨૦ ૨૩૭૦૭) ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(2:09 pm IST)