Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ચોટીલાના આણંદપરનાં દરબાર સાહેબ જીતેન્દ્રભાઇ ખાચરનો જન્મદિન

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૮ :.. જેના રોટલાના આજે પણ વખાણ થાય છે તેવા ચોટીલા તાલુકાના આણંદપુર ગામના દરબાર સાહેબ જીતેન્દ્રભાઇ મેરામભાઇ ખાચર આજે ૪૮ વર્ષ પુરા કરી હાફ સેન્ચુરી તરફ આગળ વધી રહ્યા છે. જીતેન્દ્રભાઇ ખાચર નાનપણથી જ મિત્રો સ્નેહીઓને મળવાનાં શોખીન છે. તેઓ વર્ષોથી ગોંડલ ખાતે રહે છે હાલ તેઓ ગાંધીનગર કોબા સર્કલ પાસે મેડનેસ ઓફ મહારાજા રીસોર્ટ પાર્ટી પ્લોટ તેમજ રાજયમાં પ્રથમ વખત ચોવીસ કલાક ખુલી રહે તેવી મેડીસીન અને ગોસરી સાથે મળી રહે તેવી બ્રાન્ડ લોન્ચ કરી છે તેમજ માઇનીંગના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. આ બધા વ્યવસાયમાં તેમના પુત્ર યજુવેન્દ્ર પણ મદદ કરી રહ્યા છે.આજે તેમના ૪૮ માં જન્મ-દિવસ નિમિતે તેમના મો. નં. ૯૮૭૯૮ ૦૦૯૦૦ ઉપર શુભેચ્છાનો ધોધ વહી રહ્યો છે.

(11:36 am IST)