Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વાંકાનેરના સમાજ સેવક દલપતગર ગોસ્વામીનો જન્મ દિવસ : ૭૯માં વર્ષમાં પ્રવેશ

વાંકાનેર, તા. ૧૭ : અમરસિંહજી હાઇસ્કૂલના નિવૃત શિક્ષક અને સમાજ સેવાના ભેખધારી શ્રી દલપતગર અમૃતગર ગોસ્વામીનો આજે તા. ૧૭-૯-૧૮ના જન્મ દિવસ છે અને તેઓ જીવનના ૭૮ વર્ષ પૂરા કરી ૭૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

રાજકોટ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા 'જ્ઞાતિરત્ન' સન્માન પ્રાપ્ત કરનાર દલપતગર ગોસ્વામી નિવૃત શિક્ષક ઉપરાંત તેઓ નગરપાલિકાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ, સીટી સ્ટેશન રોડ ઉપર આવેલ સ્મશાન સુધારક સમિતિના સર્વોપરી તેમજ શ્રી ગંગેશ્વર મહાદેવ સહિતની અનેક સામાજીક અને સેવાકીય સંસ્થા સાથે જોડાયા છે.   તેઓ વાંકાનેર પંથકમાં એન.ડી.એસ. સાહેબના હુલામણા નામથી ઓળખ ધરાવતા આ જૈફ વયના સાહેબશ્રીની તંદુરસ્તી યુવાનોને પણ પાછળ રાખી દયે તેવી છે.

પાંજરાપોળ સંચાલિત સ્મશાન ગૃહની તેઓ ૩પ વર્ષથી સાળ સંભાળ રાખી રહ્યા છે અને તેમાં અવિરત સુધારા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અકસ્માતે કે અન્ય બનાવમાં મૃત્યુ પામેલા બીન વારસુ મૃતદેહોને અવ્વલ મંજીલે પહોંચાડવા માટે તેમની ટીમ સાથે સતત તત્પરતા દાખવે છે.

વાંકાનેર દશનામ ગોસ્વામી સમાજમાં પણ સમૂહ લગ્નોત્સવ શરૂ કરાવવામાં તેઓનો અમૂલ્ય ફાળો રહેલો છે. તેઓના આજે ૭૯માં જન્મ દિને તમના મો.નં. ૯૮૭૯પ ૮૭રપ૭ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. (૮.૮)

(12:24 pm IST)