Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ગુજરાતી પત્રકારત્વના છ દાયકા ખેડનાર ગિરીશભાઇ ત્રિવેદીનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૨૩ : ગુજરાતી પત્રકારત્વમાં છ દાયકા ખેડનાર અને સમભાવ  મીડીયા ગ્રુપમાં તંત્રી તરીકે જવાબદારી નિભાવી ચુકેલા વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઇ ત્રિવેદીનો કાલે તા. ૨૪ ના જન્મ દિવસ છે. સફળ જીવનના ૭૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ૧૯૬૨ માં રાજકોટમાં ફુલછાબ દૈનિકથી પત્રકારત્વની કારકીર્દીની શરૂઆત કરેલ. બાદમાં જન્મભુમિ ગ્રુપમાં ભાવનગરના બ્યુરો ચીફ બન્યા. ૧૯૬૩ માં રાજય સરકારના માહિતી વિભાગમાં જિલ્લા સિનિયર ઓફીસર તરીકે જોડાયા. તત્કાલીન મુખ્યપ્રધાન સ્વ. બળવંત મહેતાના અંગત રાજકીય સલાહકાર તરીકે પણ કામ કરી ચુકયા છે. ૧૯૬૪ માં ભાવનગરથી પ્રસિધ્ધ થતા સૌરાષ્ટ્ર સમાચારનાં પ્રથમ તંત્રી બન્યા. ત્યાંથી 'સમીસાંજ' સાંધ્ય દૈનિક શરૂઆત કરવાનો જશ મેળવ્યો. ઉપરાંત ભાવનગર જિલ્લાના બ્યુરો ચીફ તરીકે જયહિન્દ ઉપરાંત ઇન્ડિયન એકસપ્રેસ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ગુજરાત સમાચાર, સંદેશ જેવા માતબર અખબારો અને પીટીઆઇ, યુએનઆઇ જેવી ન્યુઝ એજન્સીઓ સાથે કામ કર્યુ. ૧૯૮૦ થી તેઓ ઇન્ડિયન એકસપ્રેસ ગ્રુપ સાથે જોડાયા. લોકસતા જનસતાના ગ્રુપ એડીટર તરીકે ફરજ નિભાવી. મુંબઇ સમાચારના તંત્રી તરીકે પણ ફરજ બજાવી ચુકયા છે. તેમના મો.૯૬૮૭૬ ૦૬૦૪૦ છે.

(11:42 am IST)