Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ અને રઘુવંશી અગ્રણી ગોપાલભાઈ અનડકટનો જન્મદિન

રાજકોટ : કોંગ્રેસ અગ્રણી શ્રી ગોપાલભાઈ (પરાગ) અનડકટનો આજરોજ જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનનાં ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ હાલમાં રાજકોટ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે. આ ઉપરાંત તેઓ સનરાઈઝ ગ્રુપના ચેરમેન પણ છે. ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અનેક સેવાકીય પ્રવૃતિઓ જેવી કે ગરીબ દર્દીઓ માટે મફત મેડીકલ સારવાર કેમ્પ, ગાયોના ઘાસચારા લાભાર્થે લોકડાયરાઓનું આયોજન કરવામાં આવે છે. ગોપાલભાઈના જન્મદિને શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ અને ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, ડો. હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, લીગલ સેલના ગુજરાતના કન્વીનર ડો.જીજ્ઞેશ જોષી, પ્રદેશમંત્રી નિલેશભાઈ ગોહેલ, વિધાનસભા ૭૦ના પ્રમુખ ઈન્દુભા રાઓલ તેમજ હિતેન્દ્રસિંહ જાડેજા, રણજીત મુંધવા, ઘનશ્યામસિંહ જાડેજા, પ્રભાતભાઈ ડાંગર, વિજય વાંક વગેરેએ તેમના મો. ૮૦૦૦૦ ૦૩૦૦૩ ઉપર જન્મદિનની શુભકામનાઓ પાઠવેલ છે.

(12:36 pm IST)