Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

સુરત 'રામમઢી'ના જગતગુરૂ મુલહરિ તીર્થજી મહારાજનો કાલે જન્મદિવસ

ભાવનગર તા.૧૬ : સુરતના જહાંગીરપુરામાં આવેલ રામમઢીના મહંત પ.પુ.શ્રી જગતગુરૂ દંડી સ્વામી મુલહરિ તીર્થજી મહારાજ (મુળદાસબાપુ)નો તા. ૧૭-૬-૨૦૧૮ રવિવારના જન્મદિવસ છે.

શ્રેષ્ઠ ભજન રચયિતા, આકાશવાણીના એ ગ્રેડના જૂની પેઢીના સંતવાણી આરાધક પ.પુ.શ્રી મુળદાસબાપુએ અનેક સ્થળોએ પારમાર્થીક આશ્રમોનું નિર્માણ કરાવી માનવસેવા ધમધમતી કરી છે. સાથોસાથ રામદેવ પારાયણ, રામદેવ શીક્ષા મહાપુરાણ સહિતના ગ્રંથો, હીંદવા પીરના શ્રધ્ધાળુઓ સમક્ષ હોશે હોશે અર્પણ કરેલ છે. પ્રભાવક વકતા ગગનગઢના ગુઢ કેડાના પ્રવાસી મહાત્મા પૂ.મુળદાસબાપુના જન્મોત્સવની રળીયામણી ઘડીએ શુભેચ્છા (મો. ૯૮૨૫૧ ૨૦૮૦૦) દ્વારા પ્રાપ્ત થઇ રહી છે.

(11:21 am IST)