Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ગીર- સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશનો જન્‍મ દિવસ

પ્રભાસ પાટણ :તા.૧૫ : ગીર - સોમનાથ જીલ્લાના કલેકટર તરીકે યશસ્‍વી - સરળતમ કામગીરી બજાવી રહેલ જીલ્લા કલેકટર અજય પ્રકાશનો આજે જન્‍ દિવસ છે.

બિહારના સમસ્‍તીપુરના વતની અને તારીખ ૧૫-૬-૧૯૮૫ના રોજ જન્‍મેલા તેઓ ૨૦૧૧ની બેંચના આઇ . એ.એસ. કેડર અધિકારી છે.

અંગ્રેજી વિષયમાં સ્‍નાતક થયેલા તેઓએ ૫ સપ્‍ટે. ૨૦૧૩ નવસારી જીલ્લા આસી. કલેકટર  તરીકે નિમણુંક થઇ ત્‍યાર બાદ જૂનાગઢ જ્‍લ્લિા વિકાસ અધિકારી અને હાલ ગીર  - સોમનાથ જીલ્લા કલેકટર તરીકે કામગીરી બજાવી રહ્યા છે.

સૌમ્‍ય સ્‍વભાવ સાથે કાર્યકુશળતા ધરાવતા તેઓને તેમના જન્‍મદિને ઠેર-ઠેરથી હાર્દિક શુભેચ્‍છાઓનો વરસાદ થઇ રહ્યો છે.  મો. ૯૯૭૮૪ ૦૫૯૩૪

 

(11:43 am IST)