Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

એડવોકેટ નોટરી ભરતભાઇ આહ્યાનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૪ :.. એડવોકેટ - નોટરી ભરતકુમાર આહ્યાનો આજરોજ જન્મ દિવસ છે. તા. ૧૪-૬-૧૯પ૭ ના રોજ જન્મેલા આહ્યા આજરોજ યશસ્વી જીવનના ૬૧ વર્ષ પુર્ણ કરી ૬ર માં વર્ષમાં પ્રવેશ કરે છે. તેઓએ ૧૯૮૮ થી રેવન્યુ લાઇનમાં પ્રેકટીસ શરૂ કરેલ ત્યારબાદ ૧૯૯૬ માં એડવોકેટની સનંદ મેળવીને રેવન્યુ સીવીલ તેમજ ફોજદારી  પ્રેકટીસ ચાલુ કરી હતી. ર૦૦૭ થી ગર્વમેન્ટ ઓફ ઇન્ડીયાના નોટરી તરીકે નિમણુંક થઇ. રાજકોટ નોટરી એસોસીએશનના પૂર્વ પ્રમુખ તરીકે, રહી ચુકેલ છે. શ્રી રઘુવીર કો. ઓ. ક્રેડીટ સોસાયટી લી.ના લીગલ એડવાઇઝર શ્રી જયોત એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના લીગલ એડવાઇઝર તરીકે, સોમનાથ કોમર્શીયલ કોમ્પલેક્ષમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓને જન્મદિન તેમના મિત્રો-શુભેચ્છકો, સગા-સબંધીઓ, તરફથી તેમના મો. નં. ૯૯ર૪૧ ૦પ૯પ૯, તેમજ ઓફીસ નં. રર૩૧પ૬૩ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(4:34 pm IST)