Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ધન્‍ય કાલની ઘડી રળિયામણી.... હિમાંશુ પજવાણીની વર્ષગાંઠની વધામણી

વરસાદ જેવા મારા શુભેચ્‍છાકો અને માટી જેવો હું, વરસતા રહે તેઓ અને મહેકતો રહુ હું

રાજકોટ : સિધ્‍ધી થકી પ્રસિધ્‍ધી મેળવનાર જાણીતા એડવોકેટ શ્રી હિમાંશુ પજવાણીએ કાલે જાજરમાન જીવનયાત્રાના ૪૨માં વર્ષની ડોર બેલ વગાડશે. (જન્‍મ તા. ૩૧ જુલાઇ ૧૯૮૧) મુળ મેંદરડાના વતની રઘુવંશી શ્રેષ્‍ઠી શ્રી રમણીકભાઇ પજવાણીના પુત્રરત્‍ન શ્રી હિમાંશુ પજવાણી વર્ષોથી રેવન્‍યુ એડવોકેટ તરીકે કાર્યરત છે. તેઓ રેવન્‍યુ બાર એસો.ના સેક્રેટરી તરીકે રહી ચૂક્‍યા છે. સંપર્કોનું વિશાળ વર્તુળ ધરાવે છે. તેઓ પરિશ્રમને પારસમણિ માની કહે છે કે જિંદગીને પણ વાંસળી જેવી બનાવવી જોઇએ. વાંસળીમાં છેદ ગમે તેટલા હોય પણ અવાજ હંમેશા મધુર જ નીકળે છે.

મો. ૯૮૨૪૨ ૦૦૯૨૫ રાજકોટ.

(10:57 am IST)