Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

રાજકોટના યુવા પત્રકાર સુભાષ વઘાસિયાનો જન્‍મદિવસ

રાજકોટ, તા.૨૮: જેતપુરના અને રાજકોટને કર્મભુમી બનાવનાર સૌરાષ્‍ટ્ર સત્‍ય અને સૌરાષ્‍ટ્ર મિજાજના યુવા તંત્રી સુભાષ વઘાસિયાનો ૨૮ જુલાઇના રોજ જન્‍મદિવસ છે. તેઓનો ૩૨માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે.  તેઓએ ડિપ્‍લોમા કોમ્‍યુ. એન્‍જી., બી.એસ.સી અને પત્રકારત્‍વનો અભ્‍યાસ કરી, અંદાજે દશકાથી મીડીયા ક્ષેત્રે જોડાઇને લોક પ્રશ્‍નોને વાંચા આપી રહ્યા છે. અને સૌરાષ્‍ટ્ર સત્‍ય મીડીયા (SS MEDIA) નામથી જાહેરખબર કંપની પણ ચલાવે છે. અનેક સામાજીક, ધાર્મિક સંસ્‍થાઓ સાથે જોડાઇને સેવાકિય પ્રવળતિઓ કરી રહ્યા છે. તેઓના સરળ વ્‍યકિતત્‍વ, હસમુખા સ્‍વભાવથી આગવી ઓળખ ધરાવે છે. તેમના જન્‍મદિવસે તેમના મિત્રો, કર્મચારીગણ, પત્રકારમિત્રો, રાજકીય - સામાજીક આગેવાનો, સગાસ્‍નેહીઓ તરફથી તેમના મો. નં. ૮૦૦૦૦ ૨૮૬૨૦ શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(10:09 am IST)