Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

કુકાવાવનું સુર્યપ્રકાશગઢ જન્મભૂમિ, રાજકોટ કર્મભૂમિ

જન્મદિનની શુભેચ્છાથી ભીંજાતા કથાકાર ઘનશ્યામબાપુ નિરંજની

રાજકોટ : સુપ્રસિધ્ધ કથાકાર શ્રી ઘનશ્યામદાસજીબાપુ નિરંજનીનો જન્મ તા.૨૨ ફેબ્રુઆરી ૧૯૬૨ના દિવસે થયેલ. ૬૦માં વર્ષમાં પ્રવેશ નિમિતે ગઇકાલથી શરૂ થયેલ શુભેચ્છા વર્ષા આજે પણ ચાલુ છે તેઓ મૂળ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના સુર્યપ્રકાશગઢ ગામના વતની છે. શ્રીમદ ભાગવત રામાયણ વગેરેના  વકતા છે. મૂળ કથા વસ્તુ સાથે વર્તમાન ને સાંકળી લઇને લોકશિક્ષણનું ઉત્કૃષ્ટ કાર્યકરી રહ્યા છે. જ્ઞાનવાણી અને ભકિત ગીતોની આગવી શૈલીથી પ્રસ્તુતિ કરી શકે છે. મો. : ૯૮૨૫૫ ૬૪૬૯૩ રાજકોટ.

(11:43 am IST)