Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

પ્રભારી બક્ષીપંચ મોરચા સુરેન્‍દ્રનગર જીલ્લા ચમનભાઈ સિંધવનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ પ્રભારી બક્ષીપંચ મોરચા સુરેન્‍દ્રનગર જીલ્લા ચમનભાઈ સિંધવનો આજે જન્‍મદિવસ છે.  તેઓ જીવનના પ૩ વર્ષ પૂર્ણ કરી પ૪ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.  મુળવતન સુરેન્‍દ્રનગર જીલ્લાનાં પાટડી તાલુકાનાં ગવાણા ગામનાં વતની રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘનાં બાલ્‍યકાળથી સ્‍વયંસેવક વષોર્થી વિશ્વ હિન્‍દુ પરિષદ - મહાનગર - વિભાગ પ્રાંતની વિવિધ જવાબદારીઓ સંભાળેલ હતી.   રાજકોટમાં નિકળતી જન્‍માષ્ટમીની યાત્રાને રાજકોટથી ગુજરાત - દેશવિદેશમાં પ્રસ્‍થાપિત કરવામાં તેમનું મહત્‍વનું યોગદાન રહેલ સાથોસાથ ર૧ વર્ષથી સંપૂર્ણ યાત્રાની જવાબદારી તેમજ રાજકોટમાં અનેક યાત્રાઓ જેવી કે હનુમાન જયંતિયાત્રા-જલારામ યાત્રા-રામનવમી યાત્રા-વેલનાથ યાત્રા-ગોે યાત્રા-વી.વાય.ઓ.ની યાત્રા વિવિધ યાત્રાની સફળતાપૂર્વક જવાબદારીઓ સંભાળેલ હતી.   છેલ્લા ૧ર વર્ષથી જગન્‍નાથજી ભવ્‍યાતિભવ્‍ય રથયાત્રાનું આયોજન સંભાળતા આવ્‍યા છે.   તેમણે અનેક ધાર્મિક સામાજીક-હિન્‍દુ જાગળતિનાં વિવિધ કાર્યક્રમો - આંદોલનોનું પણ સુકાન સંભાળેલ છે.    આ સિવાય નાગરીક બેંકની સમિતિમાં પણ તેઓ કમિટિ મેમ્‍બર તરીકે કાર્યરત છે.  તેમને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન ઉપર  શ્રધ્‍ધા છે. તેમનાં જન્‍મદિવસ નિમિતે આર.એસ.એસ.નાં અગ્રણીઓ, વિશ્વ હિન્‍દુ પરિષદ અગ્રણીઓ સમાજનાં અગ્રણીઓ દ્વારા તેમનાં મો.૯૪ર૮ર ૦૦૧૦૯ ઉપર શુભેચ્‍છાવર્ષા થઈ રહી છે. 

(3:19 pm IST)