Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

જનસેવા ટ્રસ્ટના પ્રમુખ અને સેવાભાવી અજયભાઇ વખારીયાનો કાલે જન્મદિન

રાજકોટ તા. ર૩: જનસેવા ટ્રસ્ટનાં પ્રમુખ અજયભાઇ વખારીયાનો કાલે તા. ર૪નાં જન્મદિવસ છે. રાજશ્રી સીનેમા પાસે વખારીયા પ્રિન્ટીંગ પ્રેસનો વ્યવસાય ધરાવતા અજયભાઇ દ્વારા જનસેવા ટ્રસ્ટના માધ્યમથી ગરીબ દર્દીઓને નાત જાતનાં ભેદભાવ વગર મેડીકલને લગતી સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે. બ્લડ ડોનેશન કેમ્પ અને શીયાળામાં ધાબળા પણ વિતરણ કરવામાં આવે છે. જૈન ક્રાંતી દ્વારા છેલ્લા રર વર્ષથી જૈનોનાં લગભગ ૧૭પ જરૂરીયાતમંદ કુટુંબોને દર મહીને કરીયાણું આપવામાં આવે છે. શ્રી જૈન સાધર્મિક સેવા સમિતિ દ્વારા કીડની ફેઇલ્યોરનાં દર્દીઓને નાતજાતનાં ભેદભાવ વગર મદદ કરે છે તેમાં પણ તેઓ સેવા આપી રહ્યા છે. શ્રી રાજકોટ જૈન વાત્સલ્ય જ્ઞાનવર્ધક મહાસંઘ જૈનોનાં કુટુંબોને શૈક્ષણિક ક્ષેત્રે મદદ કરે છે તેમાં પણ તેઓ કાર્યરત છે. તેમના મો. ૯૮ર૪૦ ૩૧૦૬૬ છે.

(3:46 pm IST)