Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

યુવા ભાજપની શાન, કમળ નિશાન, સંજય એ. ચાવડાનો જન્મદિન

રાજકોટઃ. શહેર યુવા ભાજપમાં નિષ્ઠા-પ્રતિષ્ઠાથી સક્રીય સામા કાંઠાના યુવક અગ્રણી સંજય અરૂણભાઈ ચાવડાનો જન્મ ૧૯૮૬ના વર્ષની ૧૭ સપ્ટેમ્બરે થયેલ. આજે થનગનતા અને મનગમતા જીવનના ૩૪માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. જોગાનુજોગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિન અને નર્મદાના નીરની વધામણીનો પ્રસંગ હોવાથી તેમનો આનંદ બેવડાયો છે.

શ્રી સંજય ચાવડાએ પિતાજી અરૂણભાઈ ચાવડા (માલધારી)નો લોકસેવાનો વારસો સંભાળીને દીપાવ્યો છે. તેઓ ખોડીયાર મિત્ર મંડળના સ્થાપક છે. દ્વારકા જતા પદયાત્રીઓ માટે સેવાયજ્ઞ ચલાવે છે. એ.બી.સી. સહકારી મંડળીના માધ્યમથી આર્થિક જરૂરીયાતમંદ લોકોને ઉપયોગી થઈ રહ્યા છે. તેઓ કોઈના આંસુ લૂછવાની સાથે આંસુનુ કારણ ભૂસવા પ્રયત્નશીલ હોય છે. દર જન્માષ્ટમીએ ગ્રીન લેન્ડ ચોકડી પાસે નંદોત્સવ સહિતના કાર્યક્રમો યોજે છે. શુભેચ્છકો કહી રહ્યા છે કહો દિલ સે, સંજય ચાવડા કો શુભકામના ફીર સે...

મો. ૯૮૨૫૭ ૦૭૦૨૩ અને ૯૮૨૫૭ ૦૭૦૮૮ - રાજકોટ

(10:21 am IST)